ઝૂંપડપટ્ટીમાં રહેતો પરિવાર રડતો રહ્યો અને ડબ્બાવાળા બકરીઓ ઉઠાવી ગયા ગાંધીનગરના ડેપ્યુટી મેયર રૂ. ૧,૪૦૦ માં બે બકરી છોડાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 10:53:09
  • Views : 355
  • Modified Date : 2021-03-07 10:53:09

ગુજરાતના એક એવા ડેપ્યુટી મેયર જે હર હંમેશ પોતાના માટે નહીં પણ પ્રજાના કામ માટે ગમે તે સમયે પહોંચી જાય છે એવા ગાંધીનગરના ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘર ઝુંપડપટ્ટીમાં રહેતા અને બકરાં ચરાવી ઘરનું ગુજરાન ચલાવતા પરીવારની મદદે પહોંચી ગયા હતા.
ગાંધીનગરનાં કુડાસણ નજીક સીટી પ્લસ પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા ધનીબેન રમણભાઈ દંતાણી બકરાં ચરાવી તેમનાં દૂધ માંથી  ઘરનું ગુજરાન ચલાવે છે . આ રીતે મજુરી કરતા ગરીબ માણસો સામે મહાનગરપાલિકા તંત્ર રોફ જણાવતું  હોય એમ શનિવારે તેનાં ઝુંપડા પાસેથી ડબ્બામાં બે બકરીઓ ઉઠાવી ગયાં હતાં ત્યાર બાદ   પરીવાર રડતો-રડતો ડેપ્યુટી મેયર નાજાભાઇનાં ઘેર
પહોંચ્યો હતો અને પોતાની આપવીતી જણાવી હતી. જેથી ડેપ્યુટી મેયર તાત્કાલિક મનપાના
પાંજરાપોળ પર પહોંચ્યા હતા અને રૂ. ૧,૪૦૦ નો દંડ ભરી બંને બકરી છોડાવી ગરીબ
પરીવારને સોંપી હતી.


અમારી પાસે ખાવાનાં નથી તો ૧,૪૦૦ રૂપીયા કેમ આપીએ ઃ ધનીબેન
મનપાના ડબ્બા વાળા બે બકરીઓ ઉઠાવી ગયાં હતાં અને ગરીબ પરીવારને રૂપીયા ૧,૪૦૦ ભરી બકરીઓ છોડાવી જવાનું કહ્યું હતું ત્યારે બકરીનાં માલિક ધનીબેન રડવાં માંડ્યા હતા અને કહ્યું હતું કે, અમારી પાસે ખાવાનાં નથી તો પછી આટલાં રૂપીયા ક્યાંથી લાવીએ ત્યારે ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘર મદદ કરવાં પહોંચ્યા અને પરીવારનાં સભ્યો હસતા મોઢે ઘેર પરત ફર્યા હતાં.

ડેપ્યુટી મેયરે ઘાસચારો  પણ લઇ આપ્યો
ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘરે આવાં ગરીબ માણસોને પરેશાન ન કરવાં અને મદદ કરવાની સલાહ આપી મનપાના ડબ્બાવાળા કર્મચારીઓને માનવતાનાં પાઠ ભણાવ્યા હતા સાથે-સાથે ગરીબ પરીવારને બકરીઓનાં નીભાવ ખર્ચ માટે ઘાસચારો લેવાં રૂપીયા આપી આર્થિક મદદ પણ કરી હતી.

Download Our B K News Today App



Related News