ગુજરાતમાં ભારે વરસાદથી ૧ હજાર કિલોમીટરના રોડ તૂટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 11:49:33
  • Views : 344
  • Modified Date : 2020-08-29 11:49:33

રાજ્યમાં કુલ ૧૦૨૨ જેટલા રસ્તાઓ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયાં હોવાનું રાજ્યના માર્ગ અને મકાન વિભાગના પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. જ્યારે વરસાદને કારણે પ્રાથમિક અંદાજ મુજબ ૩૦૦ થી ૪૦૦ કરોડના રસ્તાને નુકશાન થયું હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ અત્યંત દયનીય
પરિસ્થિતિમાં આવી ગયા છે. ત્યારે તમામ જગ્યાએ અને જાહેર જનતાનો ભારે વિરોધ થવાને કારણે કેટલા રસ્તા કેવી રીતે અને ક્યાં ક્યાં તૂટ્યા છે તે અંગેનો અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં ૭૫,૨૩૨ કિલોમીટરના માર્ગ મકાન વિભાગના હસ્તક છે જે પ્લાન્ટેડ રસ્તા તરીકે ઓળખાય છે, જ્યારે ૩૦,૦૦૦ કિલોમીટરના નોન પ્લાન્ટ રસ્તાઓ છે. જેની જિલ્લા પંચાયત હસ્તક કામગીરી કરવામાં આવે છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે કોઈ ૧૦૨૨ કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તા તૂટવાની ફરિયાદ આવતાની સાથે જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સમગ્ર રાજ્યમાં રસ્તા બાબતે સર્વે કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાને ધ્યાનમાં લઇને રાજ્યમાં કયા કયા રસ્તાઓ તૂટ્યા છે તે અંગેનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. ભારે વરસાદથી કુલ ૧૦૨૨ કિલોમીટરના રોડ તૂટ્યા, ૧૦ વર્ષથી જૂના ૯૩૦૧ કિલોમીટર રોડ પર રીપેરિંગની જરૂરિયાત ઃ નીતિન પટેલ માર્ગ અને મકાન વિભાગની બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સતત વરસાદ અને ભારે વરસાદને કારણે મૂશળધાર વરસાદ કારણે રસ્તામાં નુકસાન થયું છે. તે નુકસાનથી ઝડપથી રીપેર કરવા માટે અને રાજ્યના બધા જ રસ્તાઓ વાહન ચલાવવાને લાયક કરવા માટે બધા જ પ્રકારની કામગીરી હાથ ધરવા આવી છે. લગભગ ૧ લાખ કિલોમીટરના રસ્તાઓ ગુજરાત રાજ્યમાં ગામડાં સુધી નેટવર્ક જોડાયેલા છે. રાજયમાં ૩૦૭૭ કિલોમીટર રસ્તા નેશનલ હાઈવેના છે. ૨૮૬૩૭ કિલોમીટરના રસ્તા સ્ટેટ હાઇવેના છે અને ૪૩૩૧૭ કિલોમીટરના રસ્તા રાજ્ય સરકારના પંચાયત વિભાગના હસ્તક છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૨૨૬૪૦ કિલોમીટરના રસ્તાઓને ભારે નુકસાન થયું છે, તે પૈકી ૧૦૨૨ કિલોમીટરના રસ્તાઓ ત્રણ વર્ષની સમય મર્યાદામાં છે તેના પર આ વરસાદથી નુકસાન થયું છે. તે તમામ નુકસાનની કામગીરીની જવાબદારી કોન્ટ્રાકટરની રાહે છે. જ્યારે મેટલ વર્ક, પેચ વર્ક અને ખાડા પડી ગયા હોય તેવા કુલ ૯૩૦૧ રસ્તાઓ છે. જે રસ્તાઓને ખાસો સમય થઇ ગયો છે જેને ૫ થી ૧૦ વર્ષની ઉપર સમય થયો છે તેવા રસ્તાની લંબાઈ ૨૪૩ કિ.મી. છે. જેમાં પેચ વર્ક કરવામાં આવશે. આ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આમ કુલ ૩૩૬૯ કિલોમીટરના રોડ પર પેચ વર્ક કરવામાં આવશે. અત્યારે જ્યાં વરસાદ નથી ત્યાં ડામર  પેવર કામગીરી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે જેવો વરસાદ બંધ થાય તેવી તરત કામગીરી હાથ ધરવામાં આવશે. તમામ મટિરીયલ એકઠું કરી દેવામાં આવ્યું છે. વરસાદ બંધ થશે ત્યારે નવરાત્રિ સુધી મોટા રસ્તામાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

Download Our B K News Today App



Related News